લોકડાઉન શબ્દનો ફક્ત ઉલ્લેખ જ લોકોના હૃદયમાં હચમચાવી નાખે છે, અને કોવિડ-19 રોગચાળાનો ભય તેમના મનમાં છવાઈ જાય છે. હાલમાં સરકારના કેટલાક નિર્ણયોને કોવિડ-19 રોગચાળા સાથે જોડવામાં આવી રહ્યા છે.
જોકે, વર્તમાન કટોકટીની તુલના તે કટોકટી સાથે કરી શકાતી નથી. કોવિડ-19 રોગચાળા દરમિયાન, લોકોના જીવન જોખમમાં હતા, અને લોકડાઉન તેમને બચાવવા માટે એક અસરકારક માર્ગ હતો. જોકે, વર્તમાન પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે.
હકીકતમાં, મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટના વિક્ષેપને કારણે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યા છે.
જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી, પરંતુ લોકોને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય વિદેશી હૂંડિયામણ ભંડાર બચાવવાનો છે.
આ મહિનાની 10મી મેના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલ કરી હતી, અને તેમણે અન્ય ઘણા મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા. પીએમ મોદીની અપીલ બાદ, લોકો કોવિડ-19 સમયગાળા દરમિયાન કરવામાં આવેલી જાહેરાતો, ખાસ કરીને લોકડાઉનને યાદ કરી રહ્યા છે.
જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવશે નહીં. આવી કોઈ પરિસ્થિતિ નથી. કોવિડ-19 સમયગાળા દરમિયાનના નિયંત્રણો અને સાવચેતીઓની ચર્ચા ફક્ત વિદેશી હૂંડિયામણ ભંડાર બચાવવા અને તેલના વપરાશને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહી છે.
1. બેંકો અને સરકારી વિભાગોમાં ઓનલાઈન મીટિંગ
નાણા મંત્રાલયના ‘નાણાકીય સેવા વિભાગ’ (DFC) એ બધી સરકારી બેંકો, પ્રાદેશીક ગ્રામીણ બેંકો અને જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને આદેશ આપ્યો છે કે હાલ બધી બેઠકો ફરજીયાત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરે. જ્યાં સુધી ખુબ જરૂરી ન હોય ત્યાં સુધી ફિઝિકલી બેઠક આયોજીત કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી અધિકારીઓની યાત્રા અને તેના પર ખર્ચ થનાર ઈંધણને બચાવી શકાય.
2. વર્ક ફ્રોમ હોમ પર સરકારનું જોર
તેલ સંકટના સમયમાં રસ્તાઓ પર વાહનોનું ભારણ ઘટાડવા માટે સરકાર ફરી લોકડાઉનના સૌથી મોટા હથિયાર વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપી રહી છે. ઘણા રાજ્યોએ તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી સરકારે પણ કર્મચારીઓ માટે સપ્તાહમાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ ફરજીયાત કર્યું છે. આ સાથે ખાનગી કંપનીઓને સ્વેચ્છાથી લાગૂ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી પેટ્રોલ અને ડીઝલનો દૈનિક વપરાશ સીમિત કરી શકાય.
3. બિનજરૂરી રૂપથી સોનું ખરીદવા પર પ્રતિબંધ
ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું સોનું વિદેશોથી આયાત કરે છે, જેનાથી મોટી માત્રામાં વિદેશી મુદ્રા બહાર જાય છે. વર્તમાન ચાલુ ખાતા ખોટ (Current account deficit) અને ઘટતા રૂપિયાને સંભાળવા માટે પીએમ મોદીએ દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની ભાવુક અપીલ કરી. તેમનો ઉદ્દેશ્ય સોનાની આયાતને ઘટાડી જરૂરી વિદેશી મુદ્રા ભંડારને કાચા તેલ જેવી જરૂરી ઈમરજન્સી આયાત માટે સુરક્ષિત રાખવાનો છે.
સોનાની ખરીદની સાથે વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે વિદેશી પ્રવાસ અને પર્યટન પર પણ આવી અપીલ કરવામાં આવી છે, કારણ કે જ્યારે કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ફરવા જાય છે તો ત્યાં ખર્ચ કરવા માટ ભારતીય રૂપિયાને ડોલર કે અન્ય વિદેશી મુદ્રામાં બદલવો પડે છે. તેનાથી દેશનું વિદેશી મુદ્રા ભંડાર બહાર જાય છે. વર્તમાન તેલ સંકટના સમયમાં સરકારની પ્રાથમિકતા છે કે દેશમાં એક-એક ડોલર સુરક્ષિત રહે, જેથી તેનો ઉપયોગ જરૂરી વસ્તુઓ પર કરી શકાય.
4. કાફલામાં ગાડીની સંખ્યામાં ઘટાડો
અધિકારીઓને દેશ-વિદેશીની યાત્રાઓ ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. બેંક ચેરમેન, એમડી અને વરિષ્ઠ અધિકારીઓના વિદેશ પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. તમામ મંત્રીઓના કાફલામાં ગાડીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ખાસ કરી ઘણા રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય દિલ્હી જેવા રાજ્યએ આગામી 6 મહિના માટે કોઈ નવા પેટ્રોલ, ડીઝલ કે સીએનજી વાહનોની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે અને સરકારી વિભાગોને ઝડપથી ઈલેક્ટ્રિક વાહનો પર શિફ્ટ થવાનું કહેવામાં આવ્યું છે.
5. જાહેર ટ્રાન્સપોર્ટ પર ભાર
આ સિવાય લોકડાઉનની જેમ સરકારી સ્તર પર થનાર મોટા જાહેર કાર્યક્રમો અને ઉત્સવોને આગામી ત્રણ મહિના સુધી રદ્દ કે સ્થગિત કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય જનતાને અંગત વાહનોની જગ્યાએ મેટ્રો અને બસ જેવા જાહેર પવિરહનનો ઉપયોગ કરવા, કારપૂલિંગ અપનાવવા અને સપ્તાહમાં ઓછામાં ઓછા એક દિવસ નો-વ્હીકલ ડે રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે સરકાર આ પગલા આર્થિક સુરક્ષા અને ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખી ભરી રહી છે. દેશમાં ઈંધણનો પર્યાપ્ત સ્ટોક હાજર છે અને લોકડાઉન જેવો દેશમાં માહોલ નથી.
